Why was Kapil Sharma seen in a wheelchair at the airport? The reason that came up | એરપોર્ટ પર વ્હીલચેરમાં કેમ જોવા મળ્યો હતો કપિલ શર્મા? સામે આવ્યું કારણ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોમેડી કિંગ કપિલ શર્મા 22 ફેબ્રુઆરીના રોજ મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેઠેલો જોવા મળ્યો હતો. કપિલને આ રીતે જોતાં ચાહકોને ચિંતા થઈ હતી. તે સમયે કપિલને શું થયું છે તે વાત સામે આવી નહોતી. જોકે, હાલમાં જ કપિલે પોતાને શું થયું હોવાની વાત કરી હતી.
કપિલને શું થયું છે?
વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કપિલ શર્માએ કહ્યું હતું, ‘જીમ દરમિયાન મને પીઠમાં ઈજા થઈ હતી. થોડાં દિવસમાં હું સાજો થઈ જઈશ. તમારી ચિંતા માટે આભાર.’

ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયો
ફોટોગ્રાફર્સ કપિલની તસવીર ક્લિક કરતાં હોય છે અને તેની તબિયત અંગે પૂછતા હોય છે. ફોટોગ્રાફર્સે પૂછ્યું હતું, ‘કપિલ સર કેમ છો? સર વીડિયો લઈ રહ્યાં છીએ.’ આટલું સાંભળીને કપિલે કહ્યું હતું, ‘ઓય, પાછળ હટો તમે તમામ લોકો.’ ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે, ‘ઓકે સર. થેંક્યૂ સર.’ કપિલ ગુસ્સે થઈને આગળ વધે છે અને કહે છે, ‘ઉલ્લુના પઠ્ઠા.’ તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર્સ કહે છે, ‘સર, રેકોર્ડ થઈ ગયું છે.’ તો કપિલ કહે છે, ‘હા તમે રેકોર્ડ કરી લો, તમે ખરાબ વર્તન કરતાં રહો.’ કપિલનું વર્તન જોઈને છેલ્લે ફોટોગ્રાફર્સ કહે છે, ‘સર તમે વિનંતી કરી હોત તો અમે પાછળ હટી જાત.’
હાલમાં જ દીકરાનો પિતા બન્યો
કપિલ શર્મા પહેલી ફેબ્રુઆરીએ બીજા સંતાનનો પિતા બન્યો હતો. કપિલની પત્ની ગિન્ની ચતરથે પહેલી ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. કપિલ શર્માએ સો.મીડિયામાં બીજા બાળકના વધામણાં આપ્યા હતા.

કપિલનો શો બંધ થયો
કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા’ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે કોરોનાને કારણે લાઈવ ઓડિયન્સ આવતી નથી. આ ઉપરાંત કોઈ ફિલ્મ પણ રિલીઝ થતી ના હોવાથી બોલિવૂડ સેલેબ્સ પણ શોમાં આવતા નથી. આ જ કારણે કપિલે થોડાં મહિના માટે શોને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે 3-4 મહિના પછી ફરી આ શો શરૂ થશે.